Jan 11, 2012

જગત ની ઉત્પતિ-સર્ગ -સિધ્ધાંત

સર્ગ -સિધ્ધાંત (સાંખ્ય-દર્શન)
આ જાણવું બહુ જરૂરી છે.જે ઘણા બધા પ્રશ્નો નો જવાબ આપી શકે તેમ છે.

જગત ની ઉત્પતિ 25 તત્વો માં થી થઇ છે.(સાંખ્ય-દર્શન મુજબ)

....................................................................................................................................................

--આ સહેલાઇ થી (તર્કથી) બુદ્ધિ માં ઉતરે તેવો સાંખ્ય-મત છે.

--પુરૂષ ને નિમિત્ત -કારણ -રૂપ અને દ્રષ્ટા કહ્યો છે.
--પ્રકૃતિ ને શક્તિ કહી છે અને જે માયા-અવિદ્યા-વગેરે  તરીકે વિખ્યાત છે.

--આ પુરૂષ અને પ્રકૃતિ નો કોઈ વાસ્તવિક રીતે  સંયોગ થતો નથી .
  પણ બંને સાથે જ નજદીક -નજદીક રહેવાથી
   બિંબ-પ્રતિબિંબ ની ક્રિયા થાય છે
    અને જેથી પ્રકૃતિના ગુણો નો (સાત્વિક ------રાજસિક --- -તામસિક )
      ક્ષોભ થાય છે ...........
---અને આ પ્રકૃતિ ના ગુણો નો ક્ષોભ થવાથી જગતની ઉત્પત્તિ થાય છે.સર્ગ થાય છે.
.............................................................................................................................................

--આ બંને નું પ્રથમ સર્જન તે વ્યષ્ટિ રૂપે (વિશાળ રૂપે) મહત્ (તત્વ ) તરીકે  ઓળખાય છે.
  અને વ્યક્તિ રૂપે તે બુદ્ધિ--શક્તિ તરીકે ઓળખાય છે.
   આ બુદ્ધિ તે પુરૂષ-પરમાત્મા  ની સહુથી નજીક છે.અને
    પરમાત્માથી પ્રકાશિત છે.
--બીજું સર્જન તે ત્રણ જાતના અહંકાર(અહમ) પૈકી
     ---- વૈકારીક અહંકાર (સાત્વિક)
         કે જેમાં મન- પાંચ જ્ઞાનેદ્રીઓ અને પાંચ કર્મેન્દ્રિઓ આવે છે.
     ----ભુતાદિ અહંકાર (તામસિક)
          કે જેમાં પાંચ તન્માત્રાઓ-ને પંચ મહાભૂતો આવે છે.(આકાશ-વાયુ-તેજ-જલ-પૃથ્વી)
     ---તેજસ અહંકાર (રાજસિક)
         સાત્વિક અને તામસિક અહંકાર ને શક્તિ આપે છે.